શ્રીપાર્થકુમાર કાળુભાઈ ઓડેદરાએ પૂ.ભાઈશ્રીનું સ્વાગત

જુનાગઢના વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમીત્તે પૂ.ભાઈશ્રીનો ઉતારો વાડલા ફાટક ખાતે આવેલી પાર્થ એકેડમી ખાતે રાખવામાં આવેલ હતો.  ત્યારે પાર્થ એકેડમીના માલીક શ્રીપાર્થકુમાર કાળુભાઈ ઓડેદરાએ પૂ.ભાઈશ્રીનું સ્વાગત કર્યું હતું. આ તકે પૂ.ભાઈશ્રીએ પાર્થ એકેડમીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સ્કુુલના સંચાલક કાળુભાઈ અને રૂડીબેન વિદ્યાર્થીઓને માતા-પિતા જેટલો જ પ્રેમ આપે છે. અહી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખુબ રસ પડે તેવું યોગ્ય અને સારૂ વાતાવરણ પણ છે. તો પાર્થકુમાર પણ સારૂ સારૂ સંચાલન કરે છે. તેમ જણાવ્યું હતું.