કડછ ગામે શ્રીરામદેવજી મહારાજનો મંડપ યોજાયો
વધેલાથી પૈસાથી ગામનો વિકાસ કરાશે…સરપંચશ્રી

સમગ્ર હિન્દુ જ્ઞાતિ સહિત જ્ઞાતિજનોમાં પુજાતા સનાતન નીજીયા ધર્મના તારણહાર અને સત્ય-પ્રેમભાવના ને એકતાનો ઉપદેશ આપનાર ધર્મપ્રતિક સમાન શ્રી રામદેવજી મહારાજના સત્ય સવરા જ્ઞાન યજ્ઞ મંડપ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન પોરબંદર તાલુકાના કડછ ગામે સમસ્ત ગામના ર્આિથક સહયોગથી વૈશાખ વદ-૧૧ને રવિવાર તા.ર૯/પ/૦૧૧ના રોજ કરવામાં આવ્યુ હતું.
સનાતન ધર્મના આધાર સ્તંભ સર્વેશ્વર વિશ્વર્મુિત આદિપુરૂષ શ્રી રામદેવજી મહારાજના યજ્ઞ મંડ૫માં ખાસ કરીને મહત્વના બે મુહુર્ત હોય છે. જેમાં એક સ્થાપનાનું (ભૂમિપૂજન) મુહુર્ત અને બીજુ મંડપ પ્રાગટયનું(લોકભાષામાં મંડપ ખડો થવાનું) સોરઠ ધરા સોહામણી, જેમાં પાકયા નરબંકા, આ ધરામાં જે સંતો મહંતો,શુરવીરો, દાતાઓ જેવા અનેક રત્નો પાકયા છે તેમાનાં સતાધારના મહંતશ્રી જીવરાજબાપુની કર્મભૂમિ એટલે કડછ અને તે ગામમાં પ૦ વર્ષ પછી પહેલી વખત આવું સુંદર આયોજન થતું હોય તેમની ઉપસ્થિતિ કેમ ન હોય?
જેમાં કડછ ગામે તા. રર-પ-૦૧૧ ને રવિવાર વૈશાખ વદ (પાંચમ) શુભ મુહુર્તે મંડપ સ્થાપન (ભૂમિપુજન)શાસ્ત્રોકત વિધિથી શ્રીજીવરાજબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જીવરાજ બાપુને હાથી પર બેસાડીને બેન્ડવાજા સાથે સામૈયા કરવામાં આવ્યા હતા. તેમજ સ્થાપના વિધિથી સાત-સાત દિવસ સુધી રામદેવપીરના મંડપના પણ સામૈયા કરવામાં આવ્યા હતા. અને મંડપ મહોત્સવના સ્થાપના દિનથી કોઈપણ નાતજાતના ભેદભાવ વિના સાત દિવસ અવિરત ર૪ કલાક ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેની જવાબદારી કડછ ગામના યુવા સ્વયંસેવકોએ ઉપાડી હતી. આ આઠ દિવસ દરમ્યાન રથી ૩ લાખ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આખુંય કડછ ગામ બોલો રામાપીરની જય ના ગગનભેદી જયઘોષથી સમગ્ર ગામ આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠયું હતું. તેમજ ભજન-ભોજનની સરવાણી સતત વહેતી રહી હતી. ત્યારે ઉપસ્થિત હજારોની માનવ સમુદાયમાં દિવ્ય સ્મરણીય આનંદ ઉત્સાહ ઉલ્લાસ છવાઈ ગયો હતો.આ મંડપના દર્શન કરવામાં આવેલ જનમેદનીને કડછ, બગસરા, મોચા, સહિતના ગામોએ પાણી અને સરબત બનાવી તૃષા છીપાવી માનવ ઘર્મ નીભાવ્યો હતો.
મંડપના ગ્રાઉન્ડમાં હાટડીઓ, ધુન મંડળીઓ, સર્કસ, ફજેતફાળકા, બરેક ડાન્સ, જેવા કાર્યક્રમોએ પણ મનોરંજન પુરૂ પાડ્યું હતું.
મંડપની પૂર્વ તૈયારીઓમાં આયોજકો તરફથી રસોડા વિભાગ, લાઈટ, પાણી, સરબત, ર્પાિકગ, સ્વાગત,શુસોભન, સ્ટોલ જેવા વિભાગોમાં કામની વહેચણી કરી હતી અને આ ર્ધાિમક કાર્યને પાર પાડ્યું હતું
આ મંડપ મહોત્સવમાં અનેક નામી-અનામી સેવાભાવીઓએ પોતાની સેવા આપી હતી. જેમા મુખ્યત્વે કડછ ગામના સરપંચ પોલાભાઈ કડછા, સવદાસઆતા, અને સમસ્ત ગ્રામજનોનો સહયોગ મળ્યો હતો.
કડછ ગામના સરપંચશ્રીનો સંદેશ…
મહેર એકતા અખબાર ટીમે મંડપ વિરામ બાદ ગામના સરપંચશ્રીની મુલાકાત લીધી ત્યારે ગામના સરપંચશ્રી પોલાભાઈ ગાંગાભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે, મને અને પુરા ગામને મંડપ ધામધુમથી પૂર્ણ થયાની ખુશી છે. મંડપ દરીમ્યાન સમસ્ત ગામે પુરેપુરો સાથ અને સહકાર આપ્યો તે બદલ સમસ્ત પુરામ ગામનો ખુબ ખુબ આભાર આ સાથે આસ-પાસના ગામડાઓએ પણ સહકાર આપેલ તેનો પણ આભાર વ્યક્ત કરૂ છે. અમે માત્ર મંડપ જ નથી કર્યો સાથે સાથે મંડપના વધેલા પૈસામાંથી ગામનો વિકાસ પણ કરીશું મંડપની દોરી અંગે જણાવતા કહ્યું હતું કે આજુ બાજુના ઘણા ગામડાઓ અમને કિધેલું કે, અમે તમારા ગામની દોરી છોડી જઈશું પરંતુ અમે નક્કી કરેલ હતું તે પ્રમાણે મંડપની દોરી ધામધુમથી વાજતે ગાજતે રણુજાધામ મુકી આવેલ બીજુ કે, અમે ગુલાલ ઉડાડી કોઈના કપડા ખરાબ કરવા માગતા નહોતા તેથી તિલક પ્રથા પણ અપનાવી હતી
પોલાભાઈએ અંતે વધુમાં ખુશી સાથે જણાવ્યું હતું કે, મારી જીંદગીમાં મારા ગામમાં પહેલી વખત આટલી મોટી એકતાના મને દર્શન થયા તેની મને મંડપ કરતા પણ વધારે ખુશી છે. કારણ આખુય ગામ હળીમળીને આ કાર્યમાં જોડાઈને તન, મન અને ધનથી ખરા હદ્યથી કામે લાગ્યું હતું.
કડછ ગામે મંડપ નિમીત્તે યોજાયેલ સંતવાણી
સનાતન ધર્મના નેજાધારી શ્રી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની મોજ માણવા આવેલ ર્ધાિમક ભકતજનો મનોરંજન, લોકસાહિત્ય અને ભજનમય બને તે માટે તા.રપના રોજ હરસુખગીરી ગૌસ્વામી (ચિકાસાવાળા),શ્રીભીખનગર બાપુ, શ્રીબળવંતગિરિબાપુ, અને સાથીકલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો, તા.ર૬ના રોજ કડછ ગામની પ્રખ્યાત શ્રીકાંધલીકૃપા રાસ મંડળીએ મણીયારો, ઢાલ-તલવાર રાસ, તલવાર અને લાઠીની પટ્ટાબાજી રજુ કરેલ હતી જેમાં મહેરના દુહાછંદ પુંજાભાઈ કારાવદરા અને શ્રીમુળુભાઈ બારોટના કંઠે ગવાયા હતા તેમજ અરજનભાઈ જાડેજાએ ઢોલ અને પુનિશ અને જમાલે શરણાઈના સાદ પુરાવ્યા હતા.તા.ર૮ એટલે કે, મંડપની આગલી રાત્રીના ૧ લાખ જેટલી માનવ મેદનીને લોકડાયરાના કલાકારો શ્રી લખમણ બારોટ અને પરષોત્તમ પરીએ આખી રાત ભજન-લોકગીતો પીરસ્યા હતા. જયારે લોકસાહિત્યકાર અને હાસ્યરસની વાતો દેવરાજભાઈ ગઢવીએ કરીને સમગ્ર જનતાને જકડી રાખી હતી. જયારે બીજી બાજુ મંડપમાં કડછ ગામના ગૌ પ્રેમી કેશવભાઈ કોળી અને ધરશન ગામના ગૌપ્રેમી નાગાભાઈએ ગૌસેવાનું મહત્વ તથા મહેર જ્ઞાતિના જવામર્દો અને ઈતિહાસની કથાઓનું વર્ણન કરી સારી એવી મેદનીને જકડી રાખી હતી.તા.ર૯ના રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં નાગાભગત (મૈયારી વાળા), પુંજાભાઈ કારાવદરા (પાતા વાળા)અને કિશોરભાઈ વાઘેલાએ દેશી ભજનોની સરવાણી વહાવી હતી.
કડછ મંડપમાં ઉપસ્થિત સાધુ સંતો
સતાધારના મહંતશ્રી જીવરાજબાપુ, શ્રી દામબાપુ, શ્રી વિજયબાપુ, જુનાગઢથી શેરનાથબાપુ, છત્રાવાથી દુલા આતા, લીરબાઈ આશ્રમથી લખુબાપુ અને દેવી મા, ગોરસર મામા પાગલ આશ્રમથી વણઘા ભગત, કડછ જાગનાથ આશ્રમના મહંતશ્રી સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહયા હતા.
કડછ મંડપની વિશેષતા…
(૧)કડછ ખાતે યોજાયેલા મંડપમાં મહેર એકતાની ટીમે કડછ ગામના કેટલાક કુંટુબોની મુલાકાત લીધી હતી ત્યારે કડછના દરેક ઘરે પ થી પ૦ જેટલા મહેમાનો હતા. ઘરે ઘરે લગ્ન જેવો માહોલ હતો, ગામના અમુક ઘરે તો પાંગતમાં જમણવાર ચાલુ હતો. (ર) કડછ ગામના પરીવારો, ધંધાર્થી કે નોકરી અર્થે બહાર ગામ ગયા હતા અને ત્યાં વસવાટ કરતા હોય તેઓ પોતાના પરીવાર સાથે અઠવાડીયાથી જ કડછ ગામમાં મુકામ કરી મંડપનો લાભ લીધો હતો (૩)ગામમાં વસવાટ કરતા કુટંબો પોતાનું દુધ જાતે જ મંડપના રસોડા વિભાગમાં પહોચતું કરતા જેના કારણે છેલ્લા આઠ દિવસથી કડછ ગામની પ્રત્યેક ડેરીઓ બંધ રહેતી હતી અને ગામના ટેકટર માલીકોએ પોતાના ટેકટર પ્રસાદ માટે કામે લગાડ્યા હતા. તો રીક્ષા ચાલકોએ પોતાની રીક્ષા મંડપના કામે લગાડી નિસ્વાર્થ સેવા બજાવી હતી. (૪) આ મંડપ માટે કડછ ગામના યુવાનો દ્વારા છેલ્લા બે માસથી તડામાર તૈયારી ચાલી રહી હતી.(પ) કડછ ગામના આ આઠ દિવસીય મંડપ મહોત્સવમાં અબીલ અને ગુલાલ ઉડાડવાનું બંધ રાખેલ હતું અને તિલક પ્રથાને અપનાવી હતી જે પ્રેરણા અને આવકારદાયી હતું (૬) ૧ લાખ પણ વધારે જનમેદની હોવા છતા ધક્કામુકી, ચોરી થવી, જેવી દુઃખદ ઘટના એક પણ ન બની શાંતિ અને ભાઈચારાનો માહોલ છવાઈ રહ્યો હતો.
મંડપ ઉપસ્થિત
જ્ઞાતિ અગ્રણી
બાબુભાઈ બોખીરીયા (પૂર્વ સિચાઈ મંત્રી), કરશનભાઈ ઓડેદરા ધારાસભ્યશ્રી-કુતિયાણા, ભગવાનજીભાઈ કરગટીયા ધારાસભ્યશ્રી-માંગરોળ, રામદેભાઈ મોઢવાડીયા, ભનુભાઈ ઓડેદરા (પટેલ), સુકાભાઈ આંત્રોલીયા, રમેશભાઈ ઓડેદરા (પટેલ), ભાયાભાઈ રાતિયા, સામતભાઈ ઓડેદરા, ભરતભાઈ મોઢવાડીયા,રાજુભાઈ રાતિયા, કાંધલભાઈ જાડેજા-પોરબંદર, કાનાભાઈ જાડેજા-પોરબંદર, એભાભાઈ કડછા-પોરબંદર,કરશનભાઈ જાડેજા-જુનાગઢ, લખમણભાઈ જાડેજા-જુનાગઢ, ગિરીશભાઈ જાડેજા-મુંબઈ, ગોગન આતા-મુંબઈ, ગગુભાઈ જાડેજા-મુંબઈ,
સૌનો આભાર વ્યક્ત કરતા માધવપુર પી.એસ.આઈ.
કડછ ગામે યોજાયેલ શ્રી રામદેવપીરજીના મંડપ દરમ્યાન કાયદો, વ્યસ્થા અને સલામતી માટે માધવપુર પી.એસ.આઈ સહિતના ૪ર પોલીસ જવાનો ખડેપગે રહયા હતા. મહેર એકતા અખબાર ગૃપે પોલીસ છાવણીની મુલાકાત લીધી ત્યારે માધવપુરના પી.એસ.આઈ. રામાનંદી સાહેબે જણાવ્યું હતું કે આટલી માનવ મેદનીએ નાત-જાતના ભેદ ભૂલી સફળતાપૂર્વક આ ધર્મ મહોત્સવને માણ્યો અને સૌએ શાંતિ જાળવી અને કોઈ અનઈચ્છીય બનાવ ન બન્યો તે બદલ આયોજક મંડળ અને ગ્રામજનોનો સહિત સૌનો આભાર પણ વ્યકત કર્યો હતો. અને તેના મુખ પર ખુશી જણાતી હતી.